માનવ વિકાસ: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા
વિકાસ: જન્મ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ પરસ્પર આધારિત છે.
કુદરતના બે સર્જનો:
1. સજીવ: કુદરતનાં જે સર્જનોમાં ચેતનાનો સંચય થતો હોય તેને સજીવ કહે છે.
2. નિર્જીવ: કુદરતનાં જે સર્જનોમાં જેમાં ચેતનાનો સંચય ન થતો હોય તેને નિર્જીવ કહે છે.
માનવ વિકાસની પ્રક્રિયાના મુખ્ય ત્રણ આધારસ્તંભો:
1. વૃદ્ધિ, 2. વિકાસ, 3. પરિપક્વતા
1. વૃદ્ધિ:
“વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો”
- ક્રો અને ક્રો
“વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર”
- ફ્રેન્ડ
“વૃદ્ધિ એ વાતાવરણની નહીં, પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે.”
- આર્નોલ્ડ ગેસલ
‘બાળકના જન્મથી તે પુગિત્તા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો, છાતીમાં અઢી ગણો, ધડમાં ત્રણ ગણો, હાથમાં ચાર ગણો, અને પગમાં પાંચ ગણો વધારો થાય છે.’
- ઇલિઝાબેથ હરલોક
વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાવસ્થાથી શરૂ થાય છે અને મર્યાદિત સમયમાં પૂરી થાય છે.
એક તબક્કે વૃદ્ધિ અટકે છે. તે સ્થિતિને ‘પરિપક્વતા’ કહે છે.
વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે.
2. વિકાસ:
“સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે.”
- ક્રો અને ક્રો
“વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ.”
- ઇલિઝાબેથ હરલોક
“વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે.”
- સ્કિનર
વિકાસ એ શરીરનાં બધાં અંગોનો ગુણાત્મક અને ક્રિયાત્મક ફેરફાર સૂચવે છે.
વિકાસ એક સર્વાંગી અને સાંગોપાંગ પ્રક્રિયા છે. વિકાસ ક્રમબદ્ધ, પ્રતિકારક અને સુસંવાદી હોય છે.
વિકાસને અસર કરતાં મુખ્ય બે પરિબળો:
1. વારસો 2. વાતાવરણ
1. વારસો:
વારસો બે પ્રકારનો હોય છે: 1. પ્રગટ કે પ્રભાવી વારસો, 2. અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો.
દા.ત. - આંખનો રંગ, વાળનો રંગ, શરીરનો બાંધો, વજન, ઊંચાઈ વગેરે પ્રગટ વારસાના લક્ષણો છે.
2. વાતાવરણ:
દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ત્રણ વિભાગો દર્શાવ્યા છે:
- ઘર: બાળકની શારીરિક અને સામાજિક આંતરક્રિયા.
- શાળા: શાળાનો પ્રકાર, શિક્ષણનું માધ્યમ, શૈક્ષણિક સવલતો વગેરેની અસર.
- સમવયસ્કો (મિત્રો): સમવયસ્ક મિત્રો, તેમની પ્રવૃત્તિઓ, આંતરક્રિયા.
પર્યાવરણનાં બાહ્ય સ્તરનાં ઘટકો:
1. સામાન્ય ભૌતિક વાતાવરણ (ગરમ/ઠંડો પ્રદેશ, પર્વતીય/રણ પ્રદેશ વગેરે).
2. સંસ્થાકીય માળખું (જ્ઞાતિ, વર્ગ, ધર્મ, સમુદાય).
3. સામાન્ય સુવિધાઓ (પૌષ્ટિક ખોરાક અને પાણી).
વિકાસની સમજૂતીના સિદ્ધાંતો:
1. જિન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત:
સ્વિસ મનોવૈજ્ઞાનિક જિન પિયાજેએ બોધાત્મક વિકાસની સમજૂતી આપી. જન્મથી બાર વર્ષ સુધીના તબક્કાને ચાર તબક્કામાં વહેંચ્યા છે.
| ઉંમર | તબક્કો | લક્ષણો |
|---|---|---|
| જન્મથી બે વર્ષ | સંવેદનિકકારક તબક્કો | પ્રતિકાત્મક રીતે વિચારવાનું શરૂ કરે છે. પદાર્થો સ્થાયી હોય છે એવો ખ્યાલ બંધાય છે. |
| બેથી સાત વર્ષ | પૂર્વ ક્રિયાત્મક તબક્કો | બાળકની વિચારણા અહંકેન્દ્રિત હોય છે. પ્રતીકો અને સંજ્ઞાના ઉપયોગ વડે વિચાર કરે. |
| સાતથી બાર વર્ષ | મૂર્ત (પદાર્થલક્ષી) ક્રિયાત્મક તબક્કો | મૂર્ત પદાર્થો અને ઘટનાઓ વિશે તાર્કિક રીતે વિચારી શકે છે. પદાર્થોનું વર્ગીકરણ કરી શકે છે. |
| બાર વર્ષથી આગળ | અમૂર્ત ક્રિયાત્મક તબક્કો | અમૂર્ત વિચારો કરી શકે છે. તાર્કિક અને વ્યવસ્થિત તેમજ ચિંતનાત્મક વિચારશક્તિ વિકસે છે. |
2. કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત:
કોહલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપ્યો છે, જેમાં 3 કક્ષાઓ અને 7 તબક્કાઓ છે:
- પૂર્વ નૈતિક કક્ષા: સુખ-દુ:ખ અને લાભ-ગેરલાભનો અભિગમ.
- પરંપરાગત કક્ષા: સારી વર્તણૂકવાળા બાળકનો અભિગમ અને સામાજિક વ્યવસ્થાની જાળવણીનો અભિગમ.
- પશ્ચાત પારંપરિક નૈતિકતા: સામાજિક નિયંત્રણ, નૈતિક સિદ્ધાંત અને વૈશ્વિક અભિગમ.
3. ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત:
વ્યક્તિના વિકાસની અવસ્થાઓ તેની મનોજાતીય વિકાસની અવસ્થાઓ છે.
- મુખકેન્દ્રી અવસ્થા: જન્મથી દોઢ/બે વર્ષ (આનંદ મુખમાં કેન્દ્રિત).
- ગુદાકેન્દ્રી અવસ્થા: બીજા અને ત્રીજા વર્ષ દરમિયાન (મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલી કામશક્તિ - લિબિડો).
- શિશ્નકેન્દ્રી અવસ્થા: ત્રણથી છ વર્ષ (જાતીય અંગોના ઉદ્દીપન પર કામશક્તિ કેન્દ્રિત).
- સુપ્ત અવસ્થા: છ થી બાર વર્ષ (કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા, બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ).
- પુગ શિશ્નકેન્દ્રી અવસ્થા: તરુણાવસ્થાથી શરૂ (વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ).
4. એરિક એરિક્સનનો જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત:
મનોસામાજિક વિકાસની પ્રક્રિયાને આઠ તબક્કામાં વહેંચી છે (વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયા પર ભાર).
- વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ (જન્મથી - 18 માસ)
- સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા (18 માસથી 3 વર્ષ)
- પહેલવૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી (3 થી 5 વર્ષ)
- ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા (5 થી 12 વર્ષ)
- સ્વઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો (12 થી 18 વર્ષ)
- આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું (18 થી 40 વર્ષ)
- ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા (40 થી 65 વર્ષ)
- સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા (65 વર્ષ પશ્ચાત)
વિકાસની અવસ્થાઓ (ઇલિઝાબેથ હરલોક અને અન્ય મતે):
બાળકનો વિકાસ ગર્ભાવસ્થાથી શરૂ થાય છે.
હરલોકના મતે વિકાસની અવસ્થાઓ:
- જન્મ પૂર્વેની અવસ્થા: (ગર્ભાધાનથી લગભગ 280 દિવસ) - બીજ અવસ્થા (0-2 અઠવાડિયા), ભ્રૂણ અવસ્થા (2 અઠવાડિયા-2 માસ), ગર્ભાવસ્થા (2 માસ-જન્મ).
- જન્મ પછીની અવસ્થા:
- શૈશવાવસ્થા: જન્મ - 2 વર્ષ.
- બાલ્યાવસ્થા: 2 - 12 વર્ષ (પૂર્વ: 2-6, ઉત્તર: 6-12).
- તરુણાવસ્થા: 12 - 18 વર્ષ (પૂર્વ: 12-15, ઉત્તર: 16-18) - સંક્રાંતિકાળ, જીવનની વસંત.
- પુખ્તાવસ્થા: 18 - 50 વર્ષ (પૂર્વ: 18-35, ઉત્તર: 36-50) - જીવનનો સુવર્ણકાળ.
- વૃદ્ધાવસ્થા: 60 થી વધુ.
હેવિંગહર્સ્ટ અને એરિક્સનના મતે મુખ્ય અવસ્થાઓ:
- ગર્ભાવસ્થા: (ગર્ભાધાનથી જન્મ) - શારીરિક વિકાસ અત્યંત ઝડપી.
- શૈશવાવસ્થા: (જન્મથી 5-6 વર્ષ) - સહજવૃત્તિ, અનુકરણ, રચના અને જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ.
- બાલ્યાવસ્થા (કિશોરાવસ્થા): (5/6 થી 12 વર્ષ) - શાળા પ્રવેશ, જિજ્ઞાસા, સંગ્રહવૃત્તિ, બહિર્મુખી.
- તરુણાવસ્થા (કુમારાવસ્થા): (12 થી 18/19 વર્ષ) - જીવનનો સંક્રાંતિકાળ, સંઘર્ષ અને દબાણનો સમયગાળો.
- યુવાવસ્થા (પુખ્તાવસ્થા): (20 થી 40 વર્ષ) - ભરપૂર શક્તિ, વૃદ્ધિ અટકાવ, જીવનનો સુવર્ણકાળ.
- પ્રોઢાવસ્થા: (40 થી 60 વર્ષ) - જીવનમાં સ્થિરતા, સિદ્ધિની ઉચ્ચતમ સીમા.
- વૃદ્ધાવસ્થા: (60 વર્ષ પછી) - નિવૃત્તિ, જ્ઞાનેન્દ્રિયોની નિર્બળતા, એકલવાયાપણું.
બાળઉછેરની પૈતૃક શૈલીઓ:
- અધિકારવાદી અને આપખુદ શૈલી: કડક શિસ્ત, બળજબરી.
- લાડ લડાવવાની અને છૂટછાટવાળી: વધારે પડતી છૂટછાટ, સહકારની ભાવના વગરનાં બાળકો.
- અધિકૃત અને પારસ્પરિક શૈલી: હકારાત્મક અભિગમવાળા હોય છે.
- ઉપેક્ષક અને સામેલગીરી વિનાની શૈલી: તિરસ્કાર અને સામેલ જ ન થવાની વૃત્તિ.

0 Comments